Updated: Jan 30th, 2023
– 3 એપ્રિલ, 2022ના મુર્તઝાએ મંદિરના ગેટ પાસે હુમલો કર્યો હતો
– હુમલા પહેલા મુર્તઝાએ આતંકવાદી સામગ્રી એકઠી કરી હતી, રૂમમાંથી ડોંગલ અને એરગન મળ્યા હતા
ગોરખપુર : ગોરખનાથ મંદિરમાં સુરક્ષાકર્મિઓ પર હુમલા કરવાના મામલામાં આરોપી મુર્તજાને ફાંસીની સજા આપવામાં આવી છે. એનઆઇએ-એટીએસના વિશેષ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીની કોર્ટે આરોપીને યુએપીએ, દેશદ્રોહ, ગોરખનાથ મંદિરના સુરક્ષાકર્મીઓ પર હુમલા સહિત અનેક અપરાધોમાં સજા સંભળાવી છે. ગયા વર્ષે ૪ એપ્રીલના રોજ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
ગયા વર્ષે ચાર એપ્રીલના રોજ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હુમલાના નવ મહિનાની અંદર જ તેની સામેની ટ્રાયલ પુરી કરીને સજાનું એલાન કરવામાં આવ્યું છે. ૩ એપ્રીલ, ૨૦૨૨ના રોજ મુર્તજાએ ગોરખનાથ મંદિરના ગેટ પર તૈનાત સુરક્ષાકર્મિઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન તેણે ધાર્મિક નારા પણ લગાવ્યા હતા. બાંકાથી કરવામાં આવેલા હુમલામાં અનેક જવાનો ઘાયલ થઇ ગયા હતા. જેને કોઇ પણ રીતે કાબુ કર્યા બાદ ગોરખનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ તેનુ કનેક્શન આતંકી પ્રવૃત્તિઓ સાથે મળતા મામલો એટીએસ તેમજ ગુપ્ત એજન્સીઓ સુધી પહોંચ્યો હતો.