By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
ભારતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 10 આંચકા અનુભવાયા
પુત્રો જ વંશ ચલાવે તેવી ટિપ્પણીથી કોર્ટો દૂર રહે : સુપ્રીમની તાકિદ
કોવિદ પરિસ્થિતિ ગંભીર બની છે, મોદીએ ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી
ભેસ્તાનમાં રખડતા કુતરાઓએ હુમલો કરતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત
CMAના રિઝલ્ટમાં સુરતના ચાર વિદ્યાર્થીઓ ટોપ-50 માં ઝળકયા
જિનપિંગના શાંતિના પ્રયાસો વચ્ચે રશિયાનો યુક્રેન પર મિસાઈલમારો : 11ના મોત
નવરાત્રિના દિવસોમાં સંસદમાં રજા રાખવા સામે અખિલેશને વાંધો પડયો
બ્રિટનમાં ભારતીય હાઇ કમિશન બહાર ખાલિસ્તાનીઓના દેખાવો
યુક્રેન અંગે વિશ્વ બે ભાગમાં વિભાજિત, પુતિન સાથે જિનપીંગ : કીશીદા કીવ પહોંચ્યા
ફેબુ્રઆરીમાં બ્રિટનમાં ફુગાવો વધીને ૧૦.૪ ટકા ઃ ચાર મહિનાની ટોચે
પાંચ વર્ષમાં અદાણી જૂથમાં મોરેશિયસ અને અન્ય ટેક્સ હેવન કંપનીઓએ રૂ.20,800 કરોડ રોક્યા
ખોટી રીતે આધારકાર્ડ બનાવતાં લોકોની ખેર નહીં, સરકારે કર્યો મોટો નિર્ણય
દેશમાંથી બહાર જતા ડોલર પ્રવાહમાં નવો વિક્રમ
પાંચ વર્ષની ઉમર ધરાવતા તુલસીના છોડની ઊંચાઇ ૭.૬ ફૂટથી પણ વધુ
સેન્સેક્સ 140 પોઈન્ટ વધીને 58215
વિશ્વ જળ દિવસે જ સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પીવાના પાણીના ફાંફા
નાણા વર્ષ 2022-23માં રોકાણકારોને શેરો કરતાં સોનામાં વધુ વળતર મળ્યું
પદવીદાન સમારોહ બાદ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટનુ વિતરણ હજી અધ્ધરતાલ
સોનામાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો
VIDEO : લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકોનું હિંસક પ્રદર્શન, સુરક્ષા કર્મચારીઓ પર શાહી ફેંકી
IPLમાં ટોસ ઉછળે તે પછી કેપ્ટન પ્લેઈંગ ઈલેવન નક્કી કરી શકશે
ખેડૂતોનું વીજળીનું બિલ હવે શૂન્ય આવશે, 2000 યુનિટ વીજળી મળશે ફ્રી, રાજસ્થાન ઉર્જા મંત્રીનો મોટો દાવો
ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયર IPL અને WTCની ફાઈનલ ગુમાવે તેવો ભય
સ્વિસ ઓપન : શ્રીકાંતનો પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ, લક્ષ્ય સેન બહાર
વર્લ્ડ વિમેન્સ બોક્સિંગમાં ભારતના ચાર મેડલ નિશ્ચિત : નિખત-લવલીના સેમિ ફાઈનલમાં
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: પાકિસ્તાન સહિત વિદેશી મીડિયામાં છવાઈ ‘ભારત જોડો યાત્રા’ : રાહુલ ગાંધી વિશે લખી મોટી વાત
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > રાષ્ટ્રિય > પાકિસ્તાન સહિત વિદેશી મીડિયામાં છવાઈ ‘ભારત જોડો યાત્રા’ : રાહુલ ગાંધી વિશે લખી મોટી વાત
રાષ્ટ્રિય

પાકિસ્તાન સહિત વિદેશી મીડિયામાં છવાઈ ‘ભારત જોડો યાત્રા’ : રાહુલ ગાંધી વિશે લખી મોટી વાત

admin
Last updated: 2023/01/30 at 9:38 PM
admin 4 Min Read
Share
SHARE

નવી દિલ્હી, તા.30 જાન્યુઆરી-2023, સોમવાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ કન્યાકુમારીથી શરૂ થઈ, જેની આજે શ્રીનગરમાં પૂર્ણાહૂતિ થઈ છે. રાહુલ ગાંધી તેમની આ યાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થઈ હતી. રાહુલ ગાંધીએ તેમની ‘ભારત જોડો યાત્રા’ અંગે કહ્યું કે, તેમની આ યાત્રા બેરોજગારી, મોંઘપારી, નફરત, હિંસા વગેરે સમાજને તોડનારા કારણો વિરુદ્ધમાં છે. રાહુલ ગાંધીએ 3570 કિલોમીટર આ યાત્રા પગપાળા પૂર્ણ કરી હતી. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સમાચાર પત્રોમાં પણ છવાયેલા રહ્યા હતા. કોંગ્રેસની આ યાત્રાને ભારત ઉપરાંત વિદેશી મીડિયામાં પણ બહોળું કવરેજ મળ્યું છે. ઈસ્લામિક દેશો ખાસ કરીને પાકિસ્તાન, યુએઈ, તુર્કી વગેરે દેશોના અખબારોએ રાહુલ ગાંધીની યાત્રા પર ઘણા આર્ટિકલ છાવ્યા, તો જાણીએ વિદેશી મીડિયાઓએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે શું શું છાપ્યું…

પાકિસ્તાનની મીડિયાએ શું કહ્યું ?

પાકિસ્તાનનું અગ્રણી સમાચાર પત્ર ‘ડૉન’એ લખ્યું છે કે, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા બુરખો પહેરેલી શાળાની વિદ્યાર્થીનો હાથ પકડ્યો, તે દર્શાવે છે કે, તેઓ પણ ગાંધી અને નહેરુની વિચારધારામાંથી આવે છે. અખબારે તેના લેખમાં લખ્યું છે કે, રાહુલ ગાંધી 5 મહિનાની ભારત જોડો યાત્રા દ્વારા પોતાના “બીમાર’ પક્ષ અને દેશની ખરાબ હાલત સુધારવાનો પ્રયાસ કરવા ઈચ્છે છે. પાકિસ્તાનના અન્ય અગ્રણી અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને લેખમાં લખ્યું છે કે, રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસમાં નવો પ્રાણ પૂરવાનો પ્રયાસ કર્યો છે. અખબાર લખે છે કે આ યાત્રાએ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો કર્યો છે.

કતારના અલ જઝીરાએ શું કહ્યું?

મુસ્લિમ દેશ કતારમાં આવેલા આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટર અલજઝીરાએ તેના અહેવાલમાં લખ્યું છે કે, દેશની સાંપ્રદાયિક સૌહાર્દ બગડી છે અને રાહુલ ગાંધી નફરત વચ્ચે દેશને પ્રેમથી જોડવાનું કામ કરી રહ્યા છે.

યુએઈના ખલીજ ટાઈમ્સે શું કહ્યું?

ઈસ્લામિક દેશ યુનાઈટેડ આરબ અમીરાતના ખલીજ ટાઈમ્સ સમાચાર પત્રે લખ્યું છે કે, કેટલાક લોકોને લાગે છે કે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ સત્ય એ છે કે મોટાભાગના લોકો હજુ પણ રાહુલ ગાંધીને ગંભીરતાથી લેતા નથી. રાહુલ યાત્રા દ્વારા તેમની છબી સુધારવાનો ચોક્કસપણે પ્રયાસ કરી રહ્યા છે.

તુર્કીની સરકારી બ્રોડકાસ્ટરમાં પણ છવાઈ ‘ભારત જોડો યાત્રા’

મુસ્લિમ દેશ તુર્કીની સરકારી બ્રોડકાસ્ટર TRT વર્લ્ડમાં છપાયેલા લેખમાં લખાયું છે કે, કોંગ્રેસે મોદી સરકાર પર દેશમાં નફરત ફેલાવવાનો આરોપ લગાવીને આ યાત્રા શરૂ કરી હતી. સમાચાર એજન્સી રોયટરને ટાંકીને અહેવાલમાં લખાયું છે કે, ભારતના ઘણા લોકો હજુ પણ કોંગ્રેસ પક્ષથી આશા રાખી રહ્યા છે. કોંગ્રેસ એ પાર્ટી છે જેણે 1947માં ભારતને આઝાદી અપાવી અને દાયકાઓ સુધી સત્તામાં રહી.

બ્રિટન

લંડનમાં આવેલ રોઈટર્સે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે અહેવાલમાં લખ્યું છે કે, પોતાના અહેવાલમાં રોયટર્સ લખે છે કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસની છબી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોયટર્સના અહેવાલમાં લખાયું છે કે રાહુલ ગાંધીની યાત્રામાં મોટી ભીડ જોવા મળી હતી. યાત્રામાં નફરત અને સાંપ્રદાયિકતા વિરુદ્ધ લોકો રાહુલ ગાંધીને સાથ આપી રહ્યા છે. આ યાત્રાથી રાહુલ ગાંધીની છબી બદલાઈ રહી છે અને તેમની લોકપ્રિયતા વધી છે, જોકે કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં આ લોકપ્રિયતાને જંગી મતોમાં તબદીલ કરી શકશે નહીં.

જર્મની

જર્મનીની સરકારી બ્રોડકાસ્ટર ડોઈશ વેલે તેના લેખમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ આ યાત્રા દ્વારા રાહુલ ગાંધીને લોકોના નેતા તરીકે સ્થાપિત કરવા ઈચ્છે છે. અખબારે લખ્યું કે, ભારતીય રાજકારણમાં એક સમયે સૌથી મોટો પક્ષ ગણાતો કોંગ્રેસ આજે માત્ર 3 રાજ્યો છત્તીસગઢ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં જ સત્તા પર છે. ભારતીય ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોંગ્રેસ પાસે 10 ટકા પણ સાંસદો નથી, જેના કારણે સંસદમાં વિપક્ષના નેતાની જગ્યા ખાલી પડી છે.

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article પેશાવરની મસ્જીદમાં આત્મઘાતી વિસ્ફોટ : 28નાં મોત, 150થી વધુ ઘાયલ
Next Article સુપ્રીમ કોર્ટનો જેટ એરવેઝને ફટકો, NCLATનો આદેશ માન્ય રાખ્યો, ચૂકવવી પડશે 200 કરોડથી વધુની રકમ
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

રાષ્ટ્રિય

ભારતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 10 આંચકા અનુભવાયા

- સતત બીજા દિવસે હિમાચલ-દિલ્હીમાં ભૂકંપ - દિલ્હીમાં 2.7 , હિમાચલમાં…

2 Min Read
રાષ્ટ્રિય

પુત્રો જ વંશ ચલાવે તેવી ટિપ્પણીથી કોર્ટો દૂર રહે : સુપ્રીમની તાકિદ

Updated: Mar 22nd, 2023- પિતૃસત્તાત્મક વિચારોને પ્રોત્સાહન આપવું અયોગ્ય- મૃત્યુ…

2 Min Read
રાષ્ટ્રિય

કોવિદ પરિસ્થિતિ ગંભીર બની છે, મોદીએ ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી

Updated: Mar 22nd, 2023- મૃત્યુઆંક પણ વધીને 5,30813 નોંધાયો- કોરોનાના…

2 Min Read
રાષ્ટ્રિય

નવરાત્રિના દિવસોમાં સંસદમાં રજા રાખવા સામે અખિલેશને વાંધો પડયો

- સ.પા. પ્રમુખે કહ્યું : દરેક ધર્મના તહેવારોએ રજા હોવી…

1 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.