ગઈકાલે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા
વિજયા રામા રાવના નિધન પર રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો
Updated: Mar 14th, 2023
Image : Twitter |
નવી દિલ્હી, 14 માર્ચ 2023, મંગળવાર
અવિભાજિત આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મંત્રી અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ભૂતપૂર્વ ડાયરેક્ટર કે. વિજયા રામા રાવનું ગઈકાલે રાત્રે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 85 વર્ષના હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે રાવને બપોરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સાંજે મનું નિધન થયું હતું.
Saddened by the news that former Minister and CBI Director Mr. Vijaya Ramarao garu passed away. My heartfelt condolences to his family. May his soul rest in peace. pic.twitter.com/T7uNeuZzFR
— Mothe Srilatha Shoban Reddy (@SrilathaMothe) March 13, 2023
કે. વિજયા રામા રાવ નિવૃત્તિ બાદ એન. ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેલંગાણા રાજ્યની રચના પછી તેઓ શાસક ભારત રાષ્ટ્ર સમિતિમાં જોડાયા. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, નાયડુ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ રેવંત રેડ્ડી અને અન્ય નેતાઓએ વિજયરામ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓને કે. વિજયા રામા રાવના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવા નિર્દેશ આપ્યો છે.