Updated: Mar 14th, 2023
અમદાવાદ, તા. 14 માર્ચ 2023, મંગળવાર
દુનિયામાં ઘણાં દેશ છે જ્યાં લોકો ભૂત-પ્રેત, ખરાબ શક્તિઓ અને આત્માઓમાં વિશ્વાસ કરે છે. કેટલાક માટે તે માત્ર અંધશ્રદ્ધા છે જ્યારે ઘણા લોકોને આ બાબતો કાલ્પનિક લાગે છે. ભારત પણ એક એવો દેશ છે જ્યાં લોકો સરળતાથી આવી વાતો પર વિશ્વાસ કરી લે છે. આપણા દેશમાં ઘણી જગ્યાઓ શ્રાપિત માનવામાં આવે છે અને જૂની વાર્તાઓ સાથે જોડીને તેને જોવામાં આવે છે. આજે અમે તમને ભારતની એવી 5 શ્રાપિત જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોકો વર્ષોથી જવામાં ડરતા હોય છે કારણ કે તેઓને ડર હોય છે કે ત્યાં (ભારતમાં શ્રાપિત સ્થળો) તેમના પર શ્રાપ ન લાગી જાય.
હિમાલયમાં આવેલ રૂપકુંડ ઝીલને શ્રાપિત માનવામાં આવે છે. આ ઝીલની ચારે બાજુ નર કંકાલ પડ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. ઉત્તરાખંડમાં આવેલ આ ઝીલની પાસે પણ કોઈ જવાની હિંમત નથી કરતું.
પિઠોરિયા ગામ ઝારખંડમાં આવેલું છે. રાંચીથી આશરે 20 કિલોમીટર દૂર આવેલા આ ગામને શ્રાપિત માનવામાં આવે છે. લોકોનું કહેવું છે કે વિશ્વનાથ નામનો એક વ્યક્તિ હતો જેને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ત્યારે તેણે ગામને શ્રાપ આપ્યો હતો કે અહીં વીજળી હંમેશા પડતી રહેશે અને અહીં હાજર કિલ્લો વીરાન પડ્યો રહેશે. શ્રાપના ડરથી લોકો ગામ છોડીને ભાગી ગયા હતા.
કુલધરા ગામ રાજસ્થાનના જેસલમેરથી માત્ર 20 કિલોમીટર દૂર છે. દેખાવમાં તે ખંડેર જેવું લાગે છે પરંતુ વર્ષો પહેલા તે હર્યુભર્યું હતું. એવું માનવામાં આવે છે કે અહીં બ્રાહ્મણો રહેતા હતા પરંતુ તે વિસ્તારનો દિવાન ગામની છોકરીઓ પર ખરાબ નજર રાખતો હતો. લોકો ફક્ત તેમના પરિવારની મહિલાઓને બચાવવા માટે અહીંથી ચાલ્યા ગયા અને આ ગામને શ્રાપ આપ્યો કે તે ફરી ક્યારેય નહીં વસી શકે.
ભાનગઢ કિલ્લો શ્રાપિત હોવાની સાથે ભૂતિયા પણ છે અને તે ભારતનું સૌથી ડરામણું સ્થળ માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે એક તાંત્રિકે આ કિલ્લાને શ્રાપ આપ્યો હતો જેના બાદ લોકોએ ત્યાં અજીબોગરીબ ઘટનાઓ અનુભવાતી હોવાનો દાવો કર્યો હતો. ઘણા લોકોએ જણાવ્યું હતું કે કિલ્લામાં રડવાના અને બૂમો પાડવાના અવાજો આવે છે. આ સાથે જ ત્યાં સવારે લીંબુ અને સિંદૂર જેવી વસ્તુઓ પણ જોવા મળે છે.
ગાંધર્વપુરી ગામ મધ્ય પ્રદેશમાં આવેલું છે. અહેવાલો અનુસાર, આ ગામ જે વિસ્તારમાં આવેલું છે ત્યાં ગંધર્વસેન નામના રાજાનું શાસન હતું. રાજાએ ગામને શ્રાપ આપ્યો હતો, જેના બાદ આખું ગામ પથ્થરનું બની ગયું હતું. ઘણા લોકોનું એવું પણ માનવું છે કે ગામના ભાગો આજે પણ અહીં પૃથ્વીની અંદર ગામના અંશ છે. ભૂલથી પણ આ ગામમાં સ્થાયી થવાનું કોઈ વિચારતું નથી.