હાલમાં રાજ્યમાં પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
આજે મહેસાણા જિલ્લામાં 10, રાજકોટ જિલ્લામાં 10, સુરતમાં 6, સાબરકાંઠામાં 5, વડોદરામાં 5, પોરબંદરમાં 2, અમરેલીમાં 1, ભરૂચ 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો
Updated: Mar 15th, 2023
અમદાવાદ, 15 માર્ચ 2023 બુધવાર
ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસ વકરી રહ્યો છે. હોળી બાદ રાજ્યમાં ફરીવાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 49 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં 22 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 336 ને પાર થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.
રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ 49 નોંધાયા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં 10, રાજકોટ જિલ્લામાં 10, સુરતમાં 6, સાબરકાંઠામાં 5, વડોદરામાં 5, પોરબંદરમાં 2, અમરેલીમાં 1, ભરૂચ 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.
અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે
અત્યાર સુધીમાં કુલ 12,66,781 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.11 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 336 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે.