By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ચુક, એક વ્યક્તિ કાફલાની નજીક પહોંચ્યો
સ્વિસ ઓપન બેડમિંટન : સાત્વિક અને ચિરાગની જોડી ફાઈનલમાં
કોંગ્રેસ કર્ણાટકને પોતાના ખિસ્સા ભરવાનું ATM માને છે, ભાજપ વિકાસ માટે કામ કરે છે: PM મોદી
નવી અને જુની પેન્શન સ્કીમ વચ્ચે શું છે તફાવત, જાણો કર્મચારીઓને શેમા વધારે ફાયદો
ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટીકિટ ખોવાઈ જાય તો..? ચિંતા ન કરો બસ તુરંત આ કામ કરી લેજો
નક્સલવાદી પટ્ટામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામેની લડાઈ વિજયના છેલ્લા તબક્કામાં
SMCએ સપાટો બોલાવતાં રખિયાલ પી.આઇ સસપેન્ડ તો દાણીલીમડા પી.આઇની CID ક્રાઇમમાં બદલી
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 402 કેસ નોંધાયા, અમદાવાદ અને કચ્છમાં બે લોકોના મોત
ગાંધીનગરના દંપતિએ કેનેડા જવાની લાલચમાં 33 લાખ ગુમાવ્યા, ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી
ખાનગી એરલાઇન્સ લોકોને ગેરમાર્ગે દોરી, મુસાફરોને વધુ પૈસા ચૂકવવા મજબૂર કરે છે: સંસદીય સમિતિ
કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાથી પગારમાં કેટલો વધારો, જાણો પુરુ ગણિત
રાહુલ ગાંધીના સમર્થનમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,બસો રોકી,ટાયરો સળગાવ્યા,સુત્રોચ્ચાર કર્યા
કલોલમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી, પાલિકા વિસ્તારમાં સવારના 8થી રાતના 8 સુધી પ્રવેશી નહીં શકે
IPL 2023: આ વર્ષે 5 ખેલાડીઓ કહી શકે છે ટૂર્નામેન્ટને અલવિદા, હેટ્રીક મેન પણ આ લિસ્ટમાં
ભૂપેન્દ્ર પટેલ CM બન્યા બાદ પહેલીવાર અન્ય રાજ્યમાં કરશે પ્રચાર, આવતીકાલે કર્ણાટક જશે
હવે ભાર વગરનું ભણતર, સરકારી સ્કુલોમાં હવે દરેક પુસ્તક ફોન પર, ક્યુઆર કોડ સ્ક્રેન કરી વાંચી શકાશે
આખરે આપણી પાસેથી ફાટેલી નોટ લઈને બેન્ક તેનું શું કરે છે? જાણો વિગતવાર
સમગ્ર રાજ્યમાં ચોરી કરીને તરખાટ મચાવનાર ચીખલીકર ગેંગના એક આરોપીની ધરપકડ
ઉત્તર પ્રદેશ: સોનભદ્રમાં હાઈટેન્શન વાયરના કારણે 300થી વધુ સ્કુલોના બાળકો પર જીવનું જોખમ, તંત્રએ મૌન સાધ્યુ
વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટીમાં 32 નવા અધ્યાપકોની ભરતી કરાશે, પહેલી વખત યુનિ.માં ટેક ફેસ્ટનુ પણ આયોજન
ખેડૂતોને સરકાર આપશે 15 લાખ રૂપિયા, આ યોજના હેઠળ મળશે લાભ, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુક્યું, ફેફસાંની બિમારીથી કંટાળીને આપઘાત કર્યો
ગાંધી કોઈની માફી નથી માગતા, હું સાવરકર નથી, સંસદમાં હોઉં કે નહીં દેશ માટે લડતો રહીશ : રાહુલ ગાંધી
મોદી અટક અંગે ટિપ્પણી કરનાર ભાજપ નેતાની 5 વર્ષ જૂની ટ્વિટ વાયરલ, કોંગ્રેસે પૂછ્યું – હવે કાર્યવાહી કરશો?
સેમિકન્ડક્ટર ઉદ્યોગના પિતા ગણાતા ગોર્ડન મૂરેનું 94 વર્ષની વયે નિધન
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: સંસદ સત્રના પાંચ દિવસ વેડફાયા : રાજકારણમાં પ્રજાના રૂ. 50 કરોડનો ધૂમાડો
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > રાષ્ટ્રિય > સંસદ સત્રના પાંચ દિવસ વેડફાયા : રાજકારણમાં પ્રજાના રૂ. 50 કરોડનો ધૂમાડો
રાષ્ટ્રિય

સંસદ સત્રના પાંચ દિવસ વેડફાયા : રાજકારણમાં પ્રજાના રૂ. 50 કરોડનો ધૂમાડો

admin
Last updated: 2023/03/19 at 12:58 AM
admin 4 Min Read
Share
SHARE

Updated: Mar 18th, 2023


– આગામી સપ્તાહ પણ તોફાની રહેશે

– રાહુલના માફી માગવાનો સવાલ જ નથી, જેપીસી મુદ્દે પણ સમજૂતી નહીં : કોંગ્રેસનું ભાજપને અલ્ટીમેટમ

નવી દિલ્હી : અદાણી-હિન્ડનબર્ગ વિવાદમાં જેપીસીની રચનાની કોંગ્રેસ સહિત વિપક્ષની માગ તથા બ્રિટનમાં ભારત વિરોધી નિવેદન બદલ રાહુલ ગાંધી પાસે માફીની ભાજપની માગણીના ઘર્ષણમાં સંસદના બજેટ સત્રના બીજા ભાગનું એક સપ્તાહ ધોવાઈ ગયું છે. હવે આગામી સપ્તાહ પણ તોફાની બની રહેવાના સંકેત મળે છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે શનિવારે સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ગાંધીના માફી માગવાનો સવાલ જ નથી તેમજ અદાણી વિવાદમાં જેપીસીની રચના મુદ્દે પણ વિપક્ષ કોઈ સમાધાન નહીં કરે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે શનિવારે જણાવ્યું હતું કે, અદાણી જૂથના વિવાદમાં ૧૬ પક્ષોની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) રચવાની વિપક્ષની માગણીથી સરકાર ગભરાઈ ગઈ છે. તેથી તે “૩ડી અભિયાન’ એટલે કે ડિસ્ટોર્ટ (વિકૃત કરવું), ડીફેમ (બદનામ કરવા) અને ડાઈવર્ટ (ધ્યાન ભટકાવવું)માં લાગી છે. રમેશે આક્ષેપ કર્યો કે વિપક્ષની જેપીસી રચવાની માગથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરી રહ્યો છે જ્યારે રાહુલ ગાંધીએ શાસક પક્ષ કહી રહ્યો છે એવું કશું જ કહ્યું નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે જ કહ્યું હતું કે, વિપક્ષ વાટાઘાટો માટે આગળ આવે તો સંસદમાં ચાલતો વર્તમાન અવરોધ દૂર થઈ શકે છે. વિપક્ષ બે પગલાં આગળ વધે તો સરકાર તેનાથી બે પગલાં આગળ વધશે. જોકે, અમિત શાહની આ હાકલના જવાબમાં રમેશને પૂછવામાં આવ્યું કે સંસદમાં મડાગાંઠ દૂર કરવા કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકે છે? તો જવાબમાં કોંગ્રેસ મહાસચિવે કહ્યું, તેમને કોઈ વચ્ચેનો રસ્તો દેખાતો નથી. કારણ કે જેપીસીની અમારી માગણી અંગે કોઈ સમજૂતી થશે નહીં તથા રાહુલ ગાંધી માફી માગે તેવો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને કેટલાક અન્ય દેશોમાં ભારતના વિપક્ષની આકરી ટીકા કરી હતી અને રાજકીય મુદ્દા ઉઠાવ્યા હતા. કોઈએ જો માફી માગવાની હોય તો તે વડાપ્રધાને માગવી જોઈએ. હવે ભાજપે રાહુલ ગાંધીનું સભ્યપદ ખતમ કરવા અંગે માગ કરી છે તેવા સવાલના જવાબમાં જયરામ રમેશે કહ્યું કે આ ધમકી આપવાનો પ્રયત્ન છે. તેમણે એમ પણ કહ્યં  કે, રાહુલ ગાંધીને ગૃહમાં બોલવાની તક કેમ નથી અપાઈ? સંસદમાં વિપક્ષને બોલવા નથી દેવાતા, પરંતુ મડાગાંઠ દૂર કરવા માટે વિપક્ષને જવાબદાર ઠેરવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હકીકતમાં સંસદમાં અવરોધો માટે માત્ર ને માત્ર સત્તા પક્ષ જવાબદાર છે.

દરમિયાન વર્ષ ૨૦૦૮ પછી પહેલી વખત શાસક પક્ષના હોબાળાના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે. ૨૦૦૮માં અમેરિકા સાથે પરમાણુ સમજૂતી પછી યુપીએ સાથે સત્તામાં સામેલ ડાબેરીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. અદાણી વિવાદ અને રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે સતત પાંચમા દિવસે સંસદની કાર્યવાહી થઈ શકી નહીં. બજેટ સત્રનો બીજો તબક્કો ૧૩ માર્ચથી શરૂ થયો, પરંતુ હોબાળાના કારણે એક પણ દિવસ ગૃહની કાર્યવાહી પૂરી થઈ શકી નહીં. સંસદના આ સત્રમાં ૩૫ બિલ પેન્ડિંગ છે ત્યારે પાંચ દિવસમાં માત્ર ૪૨ મિનિટ જ લોકસભા અને ૫૫ મિનિટ રાજ્યસભાની કાર્યવાહી ચાલી. સરકાર અને વિપક્ષના આ હોબાળાના કારણે જનતાના રૂ. ૫૦ કરોડનો ધૂમાડો થઈ ગયો હતો. વધુમાં આગામી સપ્તાહે પણ સરકાર-વિપક્ષ વચ્ચે મડાગાંઠ દૂર થવાના કોઈ સંકેત દેખાતા નથી.

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ, પંજાબમાં ઈન્ટરનેટ બંધ
Next Article ઈક્વાડોરમાં ભારે ભૂકંપથી ધરા ધ્રૂજી, તીવ્રતા 6.7 નોંધાઈ, અત્યાર સુધી 12ના મોત, લોકોમાં ફફડાટ
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

રાષ્ટ્રિય

કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ચુક, એક વ્યક્તિ કાફલાની નજીક પહોંચ્યો

PMની રેલી દરમિયાન સુરક્ષા ભંગ થતા ખળભળાટ મચી ગયોત્રણ મહિનામાં…

2 Min Read
રાષ્ટ્રિય

કોંગ્રેસ કર્ણાટકને પોતાના ખિસ્સા ભરવાનું ATM માને છે, ભાજપ વિકાસ માટે કામ કરે છે: PM મોદી

"ચાલકીભર્યા રાજકારણ"થી દૂર રહેવા માટે કર્યો આગ્રહકર્ણાટકના ઝડપી વિકાસ માટે,…

2 Min Read
રાષ્ટ્રિય

નવી અને જુની પેન્શન સ્કીમ વચ્ચે શું છે તફાવત, જાણો કર્મચારીઓને શેમા વધારે ફાયદો

જુની પેન્શન સ્કીમમાં કર્મચારીના પગારમાથી કોઈ રુપિયા કાપવામાં આવતા નહોતા.નવી…

2 Min Read
રાષ્ટ્રિય

ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટીકિટ ખોવાઈ જાય તો..? ચિંતા ન કરો બસ તુરંત આ કામ કરી લેજો

Updated: Mar 25th, 2023નવી દિલ્હી,તા.25 માર્ચ 2023,શનિવારજો તમે પણ વારંવાર…

2 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.